- મારે કોનો વીમો કરાવવો જોઇએ?
- રોટલો રળનાર - જો તમે પરિવારના રોટલો રળનાર હોય, તો તમારે પ્રથમ તમારો પોતાનો વીમો લેવો જોઇએ.
- નોકરિયાત જીવનસાથી - જો તમારા જાવનસાથી નોકરિયાત હોય કે જે વીમાનો ઉપયોગ કરી શકે, તો તમે બન્ને પોતાની જાતને જોઇન્ટ-લાઇફ પૉલિસીમાં વીમીત કરી શકો છો.. તે તમને બન્નેને ઓછી કિંમતની પૉલિસી તરીકે સેવા આપશે, અને તમે બન્નેમાંથી કોઇ એક તેનો ઉપયોગ કર બચાવવાના હેતુ માટે પણ કરી શકશો.
- બાળકો - જો તમારે બાળકો હોય તો તમે તેમના નામની એક વીમા પૉલિસીમાં ખરીદી શકો છો. આ સુનિશ્ચિત કરે છે કે તમારા બાળકો તેમના ઉચ્ચ અભ્યાસના જરૂરીયાતનાં વર્ષોમાં ચોક્કસ રકમ મેળવશે. આ પૉલિસીનો મુખ્ય લાભ એ છે કે તમારું બાળક કે પરિવાર જીવનમાં ચોક્કસ સમયગાળામાં બાહેંધરીકૃત રકમ મેળવે છે.
- જ્યારે બાળકને ઉચ્ચ અભ્યાસ માટે નાણાંની જરૂરિયાત હોય અને જીવનસાથી કદાચ આટલી મોટી રકમ ચુકવવાની પરિસ્થિતીમાં ન પણ હોય ત્યારે કમાઉ માતાપિતા પાછળથી જીવંત ન થઈ શકે ત્યારે આ પ્રકારની પૉલિસી મદદ કરે છે. આ ઉપરાંત, આ પ્રકારની પૉલિસી બાળકનાં ભવિષ્ય માટે ફરજિયાત બચતની ખાતરી કરે છે.
- સંસ્થાનો મુખ્ય વ્યક્તિ / ભાગીદાર: જો તમારે તમારી પેઢીમાં નોકરિયાત ભાગીદાર કે મુખ્ય-વ્યક્તિઓ હોય, તો તમારી પેઢી/સંસ્થાએ તેઓ માટે જીવન વીમા પૉલિસી ખરીદવી જોઇએ. આવી પૉલિસી તમારા ભાગીદાર / મુખ્ય-વ્યક્તિના મૃત્યુથી તમારી પેઢીને થતાં નાણાંકીય નુકસાનને વીમીત કરે છે.
Ads 468 x 60
Hoverable Dropdown
નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો
મારે કોનો વીમો કરાવવો જોઇએ?
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો